ગાંધીધામ : મીઠીરોહર પાસે ગમખ્વાર સર્જાયો અકસ્માત, બેનાં મોત, 5 ઘાયલ

Update: 2022-03-27 16:46 GMT

ગાંધીધામના મીઠીરોહર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મજૂરોને લઈને જતી રિક્ષાને અજાણ્યા વાહને અડફેટે લેતા બે મજૂરના મોત થયા હતા.અને મજૂરો લઈને જતી રિક્ષા પલટી ગઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં બે મજૂરોના મોત થયા છે. જ્યારે અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથધરી હતી

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે દોડી જઈ ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થયો હતો. મીઠીરોહર પાસે સર્જાયેલા અકસ્માતની પ્રાથમિક માહિતી મુજબ મુસાફર ભરેલી છકડો રીક્ષા ગાંધીધામ બાજુથી મીઠીરોહર તરફ આગળ વધી રહી હતી. ત્યારે અજાણ્યા કાર ચાલકે તેને પાછળથી ટક્કર મારી હતી. જેથી રીક્ષામાં સવાર મુસાફરો માર્ગ પર ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 6થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.

Tags:    

Similar News