ગાંધીનગર : 15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યો માટે સંસદીય કાર્યશાળાનો પ્રારંભ
ઓમ બિરલાએ 15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યો માટે સંસદીય કાર્યશાળાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યો માટે સંસદીય કાર્યશાળાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. આ દ્વિ-દિવસીય કાર્યશાળામાં સંસદીય કાર્યપદ્ધતિ વિષયક 10થી વધુ સત્રોમાં ધારાસભ્યોને વિષય નિષ્ણાતોનું માર્ગદર્શન મળશે.
વિધાનસભા અધ્યક્ષશ્ર શંકરભાઇ ચૌધરી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા સાંસદ સભ્યો, મંત્રીઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતીમાં આ કાર્યશાળા યોજાય હતી. 2 દિવસીય સંસદીય કાર્યશાળાનું સમાપન 16મી ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાશે. ગુજરાત વિધાનમંડળના સભ્યો માટે આ સંસદીય કાર્યશાળાનું આયોજન લોકસભા સચિવાલયના સંસદીય લોકશાહી શોધ તથા તાલીમ સંસ્થા (પ્રાઇડ) દ્વારા ગુજરાત વિધાનસભા સચિવાલયના સહકારથી કરવામાં આવી રહ્યું છે.