ગીર સોમનાથ: તાલાલા યાર્ડમાં ૧ લી મેથી ખુશ્બુદાર કેસર કેરીની સિઝનના થશે શ્રીગણેશ ..

ગીર સોમનાથ તાલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ- કમિશન એજન્ટોની બેઠક મળી હતી

Update: 2024-04-24 06:38 GMT

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના કેસર કેરીના ઉત્પાદક કિસાનો ઘર આંગણે જ કેસર કેરીનું વેચાણ કરી શકે માટે તા.1 મે બુધવારથી તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ખુશ્બુદાર કેસર કેરીની સિઝનના શ્રી ગણેશ કરવામાં આવશે. 

ગીર સોમનાથ તાલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ- કમિશન એજન્ટોની બેઠક મળી હતી જેમાં આગામી કેસર કેરીની સિઝન દરમિયાન કેરીનું વેચાણ કરવા આવતા ખેડૂતોને ઉપયોગી સારી સવલત મળે તેવાં નિર્ણયો આ બેઠકમાં કરવામાં આવ્યા હતા.તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે તા.૧૮ મી એપ્રિલથી કેસર કેરીની સિઝનનો શુભારંભ થયો હતો,આ વર્ષે સિઝન ૧૩ દિવસ મોડી શરૂ થઈ રહી છે.ગત વર્ષે કેસર કેરીની સિઝન ૬૩ દિવસ ચાલી હતી.આ દરમ્યાન દશ કિલો ગ્રામના ૧૧ લાખ ૧૩ હજાર બોક્સની આવક થઈ હતી.તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીના પોષણક્ષમ અને સારા ભાવો મળી રહે માટે પાકે તેવી સારી ગુણવત્તાસભર કેસર કેરી લાવવા કેસર કેરીના ઉત્પાદક કિસાનોને તાલાલા માર્કેટીંગ યાર્ડ ના પદાધીકારીઓ તથા વેપારી ભાઈઓએ અનુરોધ કર્યો છે.

Tags:    

Similar News