જામનગર: કલેક્ટર બીજલ શાહને હૃદયરોગનો હુમલો આવતા સારવાર અર્થે ખસેડાયા,તબિયત સ્થિર

જિલ્લા કલેક્ટર બીજલ શાહને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેથી તેમને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમા તબીબી સારવાર હેઠળ આઈસીસીયુમાં ખસેડવામાં આવ્યા હતા.

Update: 2024-01-25 06:59 GMT

જામનગર જિલ્લા કલેક્ટર બીજલ શાહને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેથી તેમને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમા તબીબી સારવાર હેઠળ આઈસીસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. જી.જી. હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરો અને તબીબી સ્ટાફની ટીમ તેમની ગંભીર સ્થિતિ પર ધ્યાન આપી રહી છે. હોસ્પિટલના સત્તાવાળાઓએ ખાતરી આપી છે કે જિલ્લા કલેક્ટરને શક્ય તેટલી શ્રેષ્ઠ કાળજી પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ તેમની હેલ્થ સ્થિતિ સારી છે. જામનગર જિલ્લા કલેકટર બીજલ શાહની તબિયત લથડતા સરકારી જી.જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. છાતીમાં દુખાવાના પગલે હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. વર્ષ 2009 ની બેચના આઈએએસ બીજલ શાહ યુજીવીસીયેલ એમડી, બનાસકાંઠા,પાલનપુરના ડીડીઓ અને બોટાદના કલેકટર તરીકે પણ સેવા આપી છે હાલ જામનગર જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

Tags:    

Similar News