ખેડા : કપડવંજમાંથી સામે આવ્યો લવ જેહાદનો કિસ્સો, પરિણીતાએ આપઘાત કરી લેતા વિઘર્મી યુવકની ધરપકડ...

25 વર્ષીય પરિણીતાએ આત્મહત્યા કરી લીધી છે. આ પરિણીતાએ ગત તા. 11 મેના રોજ નર્મદા નહેરમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું.

Update: 2023-05-21 11:19 GMT

ખેડા જિલ્લાના કપડવંજમાં લવ જેહાદના કિસ્સામાં હિન્દુ પરિણીતાએ આપઘાત કરી લેતા કપડવંજ રૂરલ પોલીસે વિઘર્મી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેડા જિલ્લામાં દિવસેને દિવસે લવ જેહાદના કિસ્સા વધતા જઈ રહ્યાં છે. કપડવંજમાં વધુ એક લવ જેહાદનો કેસ સામે આવ્યો છે. જેમાં 25 વર્ષીય પરિણીતાએ આત્મહત્યા કરી લીધી છે. આ પરિણીતાએ ગત તા. 11 મેના રોજ નર્મદા નહેરમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું. જોકે, જે તે સમયે કપડવંજ રૂરલ પોલીસ મથકે આ મામલે અકસ્માતે મોતની ફરિયાદ નોંધાઈ હતી. તો હવે સમગ્ર મામલે નવો જ વળાંક સામે આવ્યો છે.

જેમાં ગત તા. 20મી મેના રોજ આત્મહત્યા માટે દુશપ્રેરણાની ફરિયાદ નોંધાઈ હતી. જોકે, આ મામલે 38 વર્ષીય મોહસીન અલી નિઝામ અલી સૈયદ નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાય હતી. મોહસીન પરિણીતાને પ્રેમ સંબંધ રાખવા માટે ફોન કરી ધમકીઓ આપતો હતો. અને જો, તે પ્રેમ સબંધ ન રાખે તો બદનામ કરવાની પણ ધમકી આપતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એટલું જ નહીં, વિઘર્મી યુવકે હિન્દુ યુવતીને પ્રેમ સંબંધ માટે અવારનવાર હેરાન પરેશાન પણ કરતો હતો. મૃતક યુવતી પરણિત અને તેને 4 માસનું બાળક છે, જ્યારે મોહસીન અલીને પણ 2 બાળકો છે, ત્યારે હાલ તો કપડવંજ રૂરલ પોલીસે ફરિયાદના આધારે દહીયપ ગામના રહેવાસી આરોપી મોહસીન અલીને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News