નર્મદા: MLA અનંત પટેલેના આક્ષેપનો સાંસદ મનસુખ વસાવાએ આપ્યો જવાબ,કહ્યું કોંગ્રેસ હવાતિયા મારે છે

નવસારીના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કરેલા આક્ષેપ અંગે ભરુચના સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે.

Update: 2023-11-23 08:12 GMT

નવસારીના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કરેલા આક્ષેપ અંગે ભરુચના સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે.

થોડા દિવસ પહેલા વાંસદાના ધારાસભ્ય ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવ્યા હતા અને તેમણે બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિશે અનેક ટીપણીઓ કરી હતી તેઓએ કહ્યું હતું કે મનસુખ વસાવા બળબળાટ કરે છે અને જો તેઓ સાચા આદિવાસી નેતા હોય તો ગામે ગામ બિરસા મુંડાજીની પ્રતિમાની સ્થાપના કરાવે

અનંત પટેલના નિવેદનને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ જવાબ આપ્યો છે મનસુખ વસાવાએ જણાવ્યું હતુ કે એક ધારાસભ્ય તરીકે આવી વાત કરે છે,જોઈને હસવું આવે છે હું બળબડાટ નથી કરતો પરંતુ આપ અને કોંગ્રેસ વાળા જે નાટક કરે છે અને હવાતિયા મારે છે   

Tags:    

Similar News