નવસારી: કાછીયાવાડી વિસ્તારમાં વાસણના ગોડાઉનમાં આગ, કોઈ જાનહાની નહીં

નવસારી શહેરના કાછીયાવાડી વિસ્તારમાં વાસણના ગોડાઉનમાં આગ ફાટી નિયકલતા દોડધામ મચી જવા પામી હતી.

Update: 2023-08-21 08:49 GMT

નવસારી શહેરના કાછીયાવાડી વિસ્તારમાં વાસણના ગોડાઉનમાં આગ ફાટી નિયકલતા દોડધામ મચી જવા પામી હતી.

નવસારી શહેરના કાછીયાવાડી વિસ્તારમાં આવેલા એક કાચા મકાનને ભાડે રાખી વાસણના વેપારીએ ગોડાઉન તરીકે ઉપયોગ શરૂ કર્યો હતો જેમાં આજે સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી જેમાં વાસણના જથ્થાને નુકસાન થવા પામ્યું હતું. જો કે સમયસર ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. વાસણના વેપારી હીરા કુમાવત દ્વારા આશરે 60 લાખના વાસણનો જથ્થો ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો જેમાં 70% એટલે કે 42 લાખથી વધુ નુકસાન થયાની સંભાવના જોવામાં આવી રહી છે. ગોડાઉનના માલિકને સ્થાનિકોએ ફોન કરી આગ લાગ્યાની માહિતી આપી હતી ત્યારબાદ નવસારી વિજલપોર પાલીકાના ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવતા ફાયર વિભાગે તાત્કાલિક ત્રણ વાહનો દોડાવીને આંગ પર કાબુ મેળવ્યો હતો.

Tags:    

Similar News