જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિનું મોત, ૭ લોકો ઘાયલ

Update: 2023-03-07 16:51 GMT

જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલનને કારણે મંગળવારે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે 7 ઘાયલોને જીએમસી જમ્મુમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં રામબનના સેરી વિસ્તારમાં ભૂસ્ખલનથી ઘણા વાહનો અથડાઈ ગયા હતા.

જોકે, આ ઘટના ઘટતા તાત્કાલિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે, અને રાહત અને બચાવના કાર્યો શરૂ કરી દીધા છે. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે, પહાડનો એક ભાગ અચાનક પડવા લાગ્યો અને તેના કારણે આ ઘટના ઘટી હતી. અને અનેક વાહનો ચિનાબ નદીમાં પડી ગયા હતા.

આ અંગે વાત કરતા એસએસપી મોહિતા શર્માએ જણાવ્યું કે, થોડા સમય બાદ ફરી એક વખત ભૂસ્ખલન થયું, ત્યારબાદ ફરી એકવાર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો, પરંતુ ટૂંક સમયમાં જ ભારે વાહનોને બહાર કાઢવામાં આવ્યા.

Tags:    

Similar News