પાટણ: રાધનપુર ખાતે વઢીયાર રામાનંદ સાધુ સમાજના 20માં સમુહલગ્ન મહોત્સવનું આયોજન

રાપરિયા હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા વઢીયાર રામાનંદ સાધુ સમાજના 20માં સમુહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

Update: 2024-03-04 08:21 GMT

પાટણના રાધનપુર ખાતે રાપરિયા હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા વઢીયાર રામાનંદ સાધુ સમાજના 20માં સમુહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વઢીયાર રામાનંદ સાધુ સમાજના ભવ્ય સમુહલગ્ન મહોત્સવ યોજાયો હતો જેમાં 21 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતા.20 માં સમુહલગ્ન મહોત્સવમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંક, વઠિયાર રામાનંદ સાધુ સમાજના પ્રમુખ ચંદુલાલ સાધુ,આર.કે વૈષ્ણવ રાષ્ટ્રીય અધ્યક્ષ રામાનંદી સાધુ સમાજ અને ગોપાલદાસ સાધુ અને દશરથજી ઠાકોર સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી નવ યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા

Tags:    

Similar News