પાટણ: પ્રેમનગર ગામે શાળાને કરવામાં આવી તાળાબંધી,જુઓ શું છે કારણ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર પ્રાથમિક શાળા ખાતે ગામ લોકોએ શાળાની તાળાબંધી કરી હતી

Update: 2024-01-03 08:49 GMT

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર પ્રાથમિક શાળા ખાતે ગામ લોકોએ શાળાની તાળાબંધી કરી હતી જેમાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ સારું ન અપાતુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે 270 વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8માં અભ્યાસ કરે છે.ગામના બાળકોને સારું શિક્ષણ ન મળતું હોય તેને લઈને ગામ લોકો દ્વારા શાળાને તાળાબંધી કરી આચાર્યની બદલી કરવાની ગામ લોકો માંગ કરી રહ્યા છે.ગામ લોકો દ્વારા શાળા ખાતે તાળાબંધી કરવામાં આવી હતી

Tags:    

Similar News