સાબરકાંઠા : પ્રાંતિજના તાજપુર કુઈ નજીક 2 કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિનું મોત...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઈ ગામ પાસે રાત્રીના સમયે 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Update: 2023-01-26 06:39 GMT

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઈ ગામ પાસે રાત્રીના સમયે 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજયું હતું.

Full View

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠાના હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર પ્રાંતિજના તાજપુર કુઈ ગામ પાસે આવેલ બ્રીજ નજીક કાર નં. જીજે.૦૧.આરબી.૭૭૩૫નો ચાલક પૂર ઝડપે બેદરકારી રીતે હંકારી લાવી આગળ જઈ રહેલ અન્ય કાર નં. જીજે.૦૧.કેએ.૪૧૬૭ને પાછળથી ટક્કર મારતા બન્ને કાર રોડની વચ્ચોવચ પલ્ટી મારી ગઇ હતી. આ અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા, જ્યાં બન્ને કારમાં સવાર 4થી વધુ લોકોને ઇજા પહોચતા તેઓને બહાર કાઢ્યા હતા. ત્યારાબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા એક વ્યક્તિનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવ સંદર્ભે પ્રાંતિજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News