સાબરકાંઠા જિલ્લા ઇડરમાં બે દિવસ અગાઉ કેશરપુરા પાસે ભેંસ ભરેલી આયશર પલટતાં બે ભેંસોના મોત થયા હતા.રાત્રે કેશરપુરા હાઇવે પાસે આયશર નં. GJ 02 ZZ 5034 માં 5 ભેંસો ઘાસ-પાણીની વ્યવસ્થા રાખ્યા વગર ઠસોઠસ ભરી કતલખાને લઇ જવાતી હતી.તે દરમિયાન ચાલક દ્વારા બેફીકરાઈ અને ગફલતભરી રીતે અને પૂરઝડપે હંકારતા પોતાનું વાહન પલટી ખવડાવી અંદર ભરેલી ભેંસો પૈકી બે ભેંસોના મોત નીપજાવી 3 ભેંસો કિં 15000/- તથા આયશર કિં. 300,000/- તથા ભેંસોને બાંધવાના દોરડા નંગ- 5 મળી કુલ કિ.રૂ. 315000/- નો મુદ્દામાલ મૂકી નાસી ગયો હતો. ઇડર પોલીસ દ્વારા ઇડર પાંજરાપોળમાં જાણ કરી હતી. મૃત ભેંસોનું પાંજરાપોળમાં લઇ જઇ પોસ્ટમોર્ટમ કરાયું હતું અને ઈડર પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી.