સાબરકાંઠા: હિંમતનગરમાં કર્મધામ ટ્રસ્ટ દ્વારા નારી તું નારાયણી સંમેલન કાર્યક્રમ યોજાયો

જિલ્લાના હિંમતનગરમાં કર્મધામ ટ્રસ્ટ દ્વારા નારી તું નારાયણી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાય હતી

Update: 2023-10-31 08:33 GMT

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં કર્મધામ ટ્રસ્ટ દ્વારા નારી તું નારાયણી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાય હતી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાંકણોલ ગામ પાસે સ્વામિનારાયણ મંદિર ખાતે કર્મધામ ટ્રસ્ટ દ્વારા નારાયણી સંગમ નારી તું નારાયણી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. સ્ત્રી શક્તિ સંગઠિત થાય, માતૃશક્તિ જાગૃત થાય, મહિલા વિષયક વિચાર, ચિંતન અને વિમર્શ કરી શકાય તે માટે માતૃશક્તિ સંમેલન યોજાયો હતો. આ સંમેલનમાં વિશ્વ હિન્દુ પરિષદના ડૉ. યજ્ઞાબેન જોશી, ડો. અવનીબેન આલ સહિત અન્ય મહિલાઓ ઉપસ્થિત રહી હતી. નારી સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.સમાજનું નિર્માણ થાય, સમાજ મજબૂત, રાષ્ટ્ર મજબૂત બને, તેને લઈને માતૃશક્તિ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો

Tags:    

Similar News