સોમનાથમાં PM મોદીને જીતાડવા મહાદેવની વિશેષ મહાપૂજા, 400 પારનો સંકલ્પ સિદ્ધ થાય એ માટે પ્રાર્થના

Update: 2024-04-30 05:27 GMT

દેશભરમાં જામ્યો લોકસભાની ચૂંટણીનો માહોલ

ભાજપે આપ્યો અબકી બાર 400 પારનો સંકલ્પ

સંકલ્પ સિદ્ધ થાય એ માટે સોમનાથમાં વિશેષ પૂજા

PM મોદીની ભવ્ય જીત થાય એ માટે પ્રાર્થના કરાય

સોમપુરા તીર્થ પુરોહિત સમુદાય દ્વારા કરાયું આયોજન

ગીર સોમનાથ જિલ્લાના જુના પ્રભાસ તીર્થ ખાતે દેવાધિદેવ મહાદેવની વિશેષ આરાધના કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 400 પાર સંકલ્પને સિદ્ધ કરવા માટે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું

સમગ્ર ભારત દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અબકી બાર 400 કે પારનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે.ભાજપ તેમજ સાથી પક્ષોનો 400થી વધુ બેઠકો પર વિજય થાય તે માટે આ સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે.ત્યારે પ્રભાસતીર્થમાં જુના સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા તીર્થ પુરોહિત સમુદાય દ્વારા નરેન્દ્ર મોદીનો સંકલ્પ સાકાર થાય તે માટે મહાદેવની વિશેષ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વિશેષ મહાપૂજામાં વર્તમાન સાંસદ તેમજ જુનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News