સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે વૈદિક યજ્ઞ શરૂ કરવામાં આવ્યો,હરિભક્તોએ લીધો ભાગ

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે વૈદિક યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે જેમાં હરિભક્તો ભાગ લઈ રહ્યા છે.

Update: 2023-12-11 06:48 GMT

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે વૈદિક યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે જેમાં હરિભક્તો ભાગ લઈ રહ્યા છે.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મંદિરના પટાંગણમાં તારીખ ૩ ડીસેમ્બર રવિવારથી લઈને તારીખ ૩૧ જાન્યુઆરી 24 બુધવાર સુધી એટલે કે ૬૦ દિવસ સુધી દિવ્ય હરિયાગનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભારતીય માનવ સમાજની સુખાકારી તેમજ ભારત દેશના સુકાની માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારતની સરહદે ફરજ બજાવી રહેલા આપણા સૈનિકોનું સ્વાસ્થ્ય પરમાત્મા સ્વસ્થ રાખે એવા શુભ આશયથી ગુરુજીએ આ યજ્ઞનો પ્રારંભ કર્યો છે

Tags:    

Similar News