વડોદરા : આઝાદી અમૃતપર્વ નિમિત્તે ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાય સાયકલ રેલી...

વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજિત આઝાદી અમૃતપર્વ નિમિત્તે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પદગ્રહણ પછી પ્રથમવાર વડોદરા શહેરની મુલાકાત લીધી હતી.

Update: 2021-10-07 04:44 GMT

વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજિત આઝાદી અમૃતપર્વ નિમિત્તે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પદગ્રહણ પછી પ્રથમવાર વડોદરા શહેરની મુલાકાત લીધી હતી.

આઝાદી અમૃતપર્વ ઉજવણીના ભાગરૂપે યોજેલી દેશપ્રેમ અને વ્યાયામ પ્રોત્સાહક સાયકલ રેલીને પ્રસ્થાન કરાવવાની સાથે, શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંહ અને વ્યાયામપ્રેમીઓ સાથે શહેરના રાજમાર્ગો પર સાયકલ પ્રવાસ કરીને લોકોને આઝાદી અમૃત પર્વની ઊજવણીમાં ઉત્સાહભેર જોડાવા અને વ્યાયામપ્રેમી બનવાનો સંદેશ આપ્યો હતો. સાયકલિંગ વખતે સુરક્ષાની લેવા યોગ્ય કાળજીનો સંદેશ આપતું હેડગિયર ધારણ કર્યું હતું. રેલી પ્રસ્થાન સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સાંસદ રંજનબેન, મહાનગર પાલિકાના મેયર કેયુર રોકડીયા, પૂર્વ મંત્રી યોગેશ પટેલ અને ધારાસભ્યો અને પક્ષ તેમજ મહાનગર પાલિકાના પદાધિકારીઓ જોડાયા હતા.

Tags:    

Similar News