અંકલેશ્વર ખાતે નવી ઔદ્યોગિક નીતિ અંગે પ્રાદેશિક સેમીનાર યોજાયો.

Update: 2016-03-17 02:30 GMT

અંકલેશ્વર જીઆઈડીસીનાં ડાયમન્ડ ચિલ્ડ્રન થિયેટર ખાતે નવી ઔદ્યોગિક નીતિ અંગે પ્રાદેશિક સેમિનારનું આયોજન કરાયુ હતુ.

રાજય સરકાર દ્વારા નવી ઔદ્યોગિક નીતિ ૨૦૧૫ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત તેનાંથી ઉદ્યોગ સાહસિકોને માહિતગાર કરવા માટે ભરૂચ તેમજ નર્મદા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર,અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં સંયુકત ઉપક્રમે આ સેમિનારનું આયોજન કરાયુ હતુ.

જેમાં ઉદ્યોગ મંડળનાં પ્રમુખ ચંદ્રેશ દેવાણી, ભરૂચ જીલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં જનરલ મેનેજર એચ.કે.ચૌધરી, નર્મદા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં જનરલ મેનેજર ડી.આર. પટેલ સહિતનાં ઉદ્યોગ સાહસિકો, આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

Tags:    

Similar News