ભરૂચ શહેર ના હાજીખાના બજારમાં રહેતા સંદીપ ધનસુખભાઈ મિસ્ત્રી ઉંમર આશરે 33 વર્ષીય યુવકે પોતાના ઘરમાં ઉપરના માળે એકલતાનો લાભ લઇ ને પ્લાસ્ટીકની દોરી નો ફંદો બનાવી ગળે ફાંસો ખાઈને જીવતર ટૂંકાવી દીધું હતું.
ઘરના સભ્યો સવારે નીંદર માંથી જાગીને ઘરની ઉપરની રૂમમાં સંદીપને ઉઠાડવા જતા તેનો મૃતદેહ લટકતી હાલતમાં જોતા સ્તબ્ધ થઇ ગયા હતા.
ઘટના અંગેની જાણ ભરૂચ એ-ડીવીઝન પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.અને સંદીપ મિસ્ત્રીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને યુવકે કયા કારણો સર અંતિમ પગલું ભર્યું છે તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે.