ભાવનગર જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૧૫ થઈ જ્યારે ૯૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

Update: 2020-05-25 16:43 GMT

ભાવનગરના કોરોના આઈસોલેશન વોર્ડમાં સારવાર માટે રાખેલ દર્દીઓની વિગત જોઈએ તો ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૯૪ પોઝીટીવ રિપોર્ટ પૈકી ૭ દર્દીનુ અવસાન થયેલ છે અને ૮૦ દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે.

તેમજ ભાવનગર જિલ્લા પંચાયત ગ્રામ્ય વિસ્તારના ૨૧ પોઝીટીવ રીપોર્ટ પૈકી ૧ દર્દીનુ અવસાન થયેલ છે. અને ૧૪ દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. તેમજ સામાન્ય લક્ષણૉ ધરાવતા અન્ય વ્યક્તિઓના ૭૨ રીપોર્ટ નેગેટીવ આવેલ છે. જિલ્લામાં કુલ ૧૧૫ પોઝીટીવ કેસ થયેલ છે. જે પૈકી ૮ લોકોના મૃત્યુ થયેલ છે અને ૯૪ દર્દીના કોરોના સેમ્પલ નેગેટીવ આવતા તેમને ડિસ્ચાર્જ કરેલ છે.

Tags:    

Similar News