મોદી સરકાર સામે ખેડૂતો લડી લેવાના મૂડમાં, ભારત બંધનું એલાન આપ્યું સાથેજ પીએમ મોદીના પૂતળાનું દહન કરશે

Update: 2020-12-04 14:21 GMT

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો આંદોલનને વધુ તીવ્ર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. 8 ડિસેમ્બરે ખેડૂતોએ ભારત બંધ નું એલાન આપ્યું હતું. સાથે જ દેશભરમાં વડા પ્રધાન મોદીના પૂતળા દહન કરવાની પણ ખેડૂતો એ જાહેરાત કરી હતી. દિલ્હીને જોડતાં તમામ રસ્તા અને ટોલ પ્લાજા બંધ કારવવાની પણ ચીમકી આપી હતી, સાથે જ ઘણા વીર સપૂતોએ પણ મેડલ પરત કરવાની વાત કરી હતી.

આંદોલનકારી નેતાઓએ કહ્યું કે આજે તમિલનાડુ અને કર્ણાટકમાં પણ અમારું પ્રદર્શન હતું. હવે આ ખેડૂતો એ પણ દિલ્હી આવવાનું કહ્યું હતું. તેમણે સમગ્ર દેશના ખેડૂતો ને દિલ્હી આવવા હાકલ કરી હતી. ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે હવે યુદ્ધ થશે, પીછેહઠ કોઈ પણ મુદ્દે નહીં થાય.

Tags:    

Similar News