બિહાર : મુઝફ્ફરપુરમાં ત્રણ ઘરોમાં લાગી ભીષણ આગ, 4 બહેનોના મોત, અન્ય કેટલાક લોકો દાઝ્યા

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મોડી રાત્રે ભીષણ આગમાં ચાર સગી બહેનો જીવતી સળગી ગઈ હતી. સાથે જ અડધો ડઝનથી વધુ લોકો દાઝી ગયા છે.

Update: 2023-05-02 03:50 GMT

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મોડી રાત્રે ભીષણ આગમાં ચાર સગી બહેનો જીવતી સળગી ગઈ હતી. સાથે જ અડધો ડઝનથી વધુ લોકો દાઝી ગયા છે. ઘટના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના રામદયાલુની છે.

સોમવારે મોડી રાત્રે અહીંના ત્રણ મકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટના સમયે તમામ લોકો સૂતા હતા. સોમવારે મોડી રાત્રે બનેલી આ ઘટનાથી ચારેબાજુ અરાજકતાનો માહોલ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે મોડી રાત્રે એક મકાનમાં આગ લાગી હતી અને સૂતેલા લોકોને તેની ખબર નહોતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને સુષુપ્તાવસ્થામાં 4 સગીર બહેનોના મોત થયા. ચારેય એક જ રૂમમાં સૂતા હતા. તે જ સમયે બાજુના રૂમમાં સૂઈ રહેલા અડધા ડઝનથી વધુ લોકો દાઝી ગયા હતા.

Tags:    

Similar News