રામસેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરો, સુબ્રમણ્યમ સ્વામીની માંગ પર સુપ્રીમ કોર્ટમાં આ મહિને સુનાવણી

રામસેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવાની માંગ કરતી ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે

Update: 2022-07-13 07:44 GMT

રામસેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવાની માંગ કરતી ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર 26 જુલાઈએ સુનાવણી કરશે.

ચીફ જસ્ટિસ એનવી રમને 26 જુલાઈએ સ્વામીની અરજી પર સુનાવણી કરવાની ખાતરી આપી હતી. અરજીમાં સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે કેન્દ્રને 'રામ સેતુ'ને રાષ્ટ્રીય ધરોહર સ્મારક તરીકે જાહેર કરવાનો નિર્દેશ આપે. રામસેતુને એડમ્સ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે તમિલનાડુના દક્ષિણપૂર્વ કિનારે પમ્બન ટાપુ અને શ્રીલંકાના ઉત્તરપશ્ચિમ કિનારે મન્નાર દ્વીપ વચ્ચે ચૂનાના પત્થરોની રચનાની સાંકળ છે.

Tags:    

Similar News