દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 હજાર 231 નવા કેસ નોંધાયા, 75 સંક્રમિતોના મોત
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 હજાર 231 નવા કેસ નોંધાયા
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 હજાર 231 નવા કેસ નોંધાયા છે અને 75 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 1792 નો વધારો થયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 64 હજાર 667 થઈ છે. કુલ 4 કરોડ 38 લાખ 35 હજાર 852 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 27 હજાર 874 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 212 કરોડ 39 લાખ 92 હજાર 816 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 22 લાખ 50 હજાર 854 ડોઝ અપાયા હતા.