જમ્મુ-કાશ્મીર : પુલવામા અને અનંતનાગમાં એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ ઠાર, 3 આતંકવાદીઓની કરાઈ ધરપકડ

જમ્મુ-કાશ્મીરમાં આ દિવસોમાં સેના દ્વારા સતત ઓપરેશન દ્વારા આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવી

Update: 2022-11-01 17:06 GMT

જમ્મુ-કાશ્મીરમાં આ દિવસોમાં સેના દ્વારા સતત ઓપરેશન દ્વારા આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં, મંગળવારે પુલવામા જિલ્લાના અવંતીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

આ અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. સુરક્ષા દળોને આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ બાદ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા અને આતંકીઓને ઘેરી લીધા હતા. આ પછી છુપાયેલા આતંકવાદીઓએ સેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સેનાએ જવાબી કાર્યવાહી કરીને બે આતંકીઓને ઠાર કર્યા હતા.

Tags:    

Similar News