ભારતીય જનતા પાર્ટીનો આજે 44મો સ્થાપના દિવસ,PM મોદીએ કાર્યકરોને કર્યું સંબોધન

આજે ભાજપનો 44મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.

Update: 2023-04-06 05:58 GMT

આજે ભાજપનો 44મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું, 'હું એવા મહાન લોકોના કાર્યકરો અને નેતાઓને નમન કરું છું જેમણે આજ સુધી પાર્ટીને પોષણ આપ્યું, સમૃદ્ધ કર્યું અને સશક્ત કર્યું.' ભાજપની રચના 43 વર્ષ પહેલાં 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી.તેમણે કહ્યું, 'આજે આપણે દેશના ખૂણે ખૂણે ભગવાન હનુમાનજીની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. બજરંગબલીના નામનો પોકાર સર્વત્ર ગુંજી રહ્યો છે. હનુમાનજીનું જીવન અને ઘટનાઓ આજે પણ ભારતના વિકાસની યાત્રામાં આપણને પ્રેરણા આપે છે. મહાન શક્તિના આશીર્વાદ આપણી સફળતાઓમાં પ્રતિબિંબિત થાય છે.'પીએમએ કહ્યું, 'હનુમાનજીમાં અપાર શક્તિ છે, તેઓ એ શક્તિનો ઉપયોગ ત્યારે જ કરી શકે છે જ્યારે તેમની આત્મશંકાનો અંત આવે. 2014 પહેલાં ભારતમાં પણ આવી જ સ્થિતિ હતી. ભારતને હવે બજરંગબલી જેવી પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓનો અહેસાસ થયો છે. ભાજપના કાર્યકરો અને પાર્ટી હનુમાનજીના આવા ગુણોમાંથી પ્રેરણા લે છે.હનુમાનજી બધુ કરી શકે છે, દરેક માટે કરે છે, પરંતુ પોતાના માટે કંઈ કરતા નથી આ ભાજપની પ્રેરણા છે. એક વધુ પ્રેરણા છે. જ્યારે હનુમાનજીને રાક્ષસોનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ કઠોર બની ગયા. જ્યારે ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ, કાયદો અને વ્યવસ્થાની વાત આવે છે, ત્યારે ભાજપ મા ભારતીને મુક્ત કરવા માટે સમાન રીતે સંકલ્પબદ્ધ બને છે.

Tags:    

Similar News