ભરૂચ : રાજય સરકારનાં મંત્રીએ વેકસીન લીધા બાદ કોરોના પોઝિટિવ

Update: 2021-03-15 11:09 GMT

રાજય સરકારનાં મંત્રી ઈશ્વર પટેલને કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી છે. નવાઈની વાત એ છે કે રાજય સરકારનાં મંત્રીએ બે દિવસ અગાઉ જ કોરોનાની વેકસીન લીધી હતી તેમ છતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

બે દિવસ અગાઉ સિસોદરા પી.એસ.સી ખાતે તેમણે કોરોનાની વેકસીનનો ડોઝ લીધો હતો. રસી લીધા બાદ પણ રાજયમંત્રી ઈશ્વર પટેલને કોરોનાનાં લક્ષણો જાણતા તેમનો રિપોર્ટ ચકાસવામાં આવ્યો હતો આ રિપોર્ટ પોઝિટિવ આવતા આશ્ચર્ય સર્જાયું.

Tags:    

Similar News