રાજકોટ : જેતપુર ABVP શાખાની નવી કારોબારી કમિટીની રચના કરાઇ, વિશિષ્ટ વિષયો પર કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરાયા

Update: 2020-09-07 11:26 GMT

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શાખાની નવી કારોબારી કમિટીની રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ વિષયો પર કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા.

રાજકોટ જિલ્લામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જેતપુર તાલુકા શાખા દ્વારા અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે હાલ ચાલી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે અભ્યાસ વર્ગ યોજાયો હતો. જેમાં કાર્યકર્તાઓને અલગ અલગ વિષય ઉપર પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત જેતપુર શાખાની નવી કારોબારી કમિટીની પણ રચના કરવામાં આવી હતી. જેમાં નગર અઘ્યક્ષ તરીકે ડો. શૈલેષ બુટાણી, ઉપાધ્યક્ષ તરીકે વિશાલ સોલંકી, નગરમંત્રી તરીકે બીપીન મિશ્રા, નગરસહ મંત્રી તરીકે પ્રિયંકા કીડીયા અને પાર્થ પલાસની નિમણૂંક કરવામાં આવી હતી. અભ્યાસ વર્ગ દરમ્યાન પ્રદેશ સહમંત્રી પવન ઓઝા અને પૂર્વ નગરમંત્રી હાર્દિક મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News