"રૂપ અને આનંદ પંડિત" ના સન્માનમાં તેના ફિલ્મ નિર્માણ કેન્દ્રનું નામ નક્કી કરવાનો લીધો નિર્ણય
એએમએ "અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન" દ્વારા ફિલ્મ ઉદ્યોગમાં તેમના યોગદાન બદલ "રૂપ અને આનંદ પંડિત" ના સન્માનમાં તેમની ફિલ્મ નિર્માણ કેન્દ્રનું નામ નક્કી કરવાનો નિર્ણય લીધો છે.
આગામી તા.૨૨મીને શનીવારે સાંજે ૫.૩૦ કલાકે બોલીવુડના સુપ્રસિદ્ધ એવરગ્રીન સુપરસ્ટાર જીતેન્દ્ર કપૂરના હસ્તે તેનું ઉદઘાટન અમદાવાદના જે.બી. ઓડીટોરિયમ, ટોરેન્ટ – એ.એમ.એ સેન્ટર, ડૉ. વિક્રમ સારાભાઇ માર્ગ અમદાવાદ ખાતે યોજાનાર આ સમારંભમાં કરાશે.