T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, ટાઈટલ જીતવાની જવાબદારી આ 15 ખેલાડીઓ પર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે આગામી T20 વર્લ્ડ કપ માટે 15-સભ્ય ભારતીય ટીમની જાહેરાત કરી.

Update: 2024-04-30 11:00 GMT

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે આગામી T20 વર્લ્ડ કપ માટે 15-સભ્ય ભારતીય ટીમની જાહેરાત કરી. રોહિત શર્મા ટીમનો કેપ્ટન રહેશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપનું આયોજન કરશે. ICCએ આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોની જાહેરાત માટે છેલ્લી તારીખ 1 મે નક્કી કરી છે. ભારત ઉપરાંત ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાએ પણ પોતાની ટીમની જાહેરાત કરી છે.

T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ 

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચૌહાણ. અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

રિઝર્વ - શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન.

Tags:    

Similar News