સુરત : કામરેજની એકલવ્ય હોસ્ટેલના 3 વિધાર્થીઓ ZEE એડવાન્સ 2020ની પરીક્ષામાં ઝળક્યા

Update: 2020-10-06 11:06 GMT

દેશની મહત્વની અને ટોચની એન્જીયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવો એ લગભગ બધા જ વિધાર્થીઓનું સપનું હોય છે. પણ પ્રવેશ એજ મેળવે જે દિવસ રાત એક કરી મહેનત કરે છે ત્યારે તાજેતરમાં જ દેશની ટોચની કોલેજ એન્જિનિયરિંગ પ્રવેશ લેવા માટે લેવાતી ZEE પરીક્ષામાં એકલવ્ય હોસ્ટેલના ત્રણ વિધાર્થીઓ ઝળક્યા હતા.

કામરેજની એકલવ્ય હોસ્ટેલના ત્રણેવ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય લેવલએ સારા ક્રમે ઉત્તમ પરિણામ મેળવ્યું હતું. એકલવ્ય હોસ્ટેલના હાર્દિક પંચાલ , ચૌધરી પાર્થ, ચૌધરી શ્રેય વિધાર્થીઓ બેસ્ટ પરિણામ પ્રાપ્ત કરતા એકલવ્ય હોસ્ટેલના સંચાલક રમેશભાઈ હિરાણી, ધીરુભાઈ હિરાણી, અને સમગ્ર હોસ્ટેલના સ્ટાફ તરફથી વિદ્યાર્થીઓને તેમજ તેમના વાલીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

Tags:    

Similar News