સુરત : કીમ ખાતે RSS અને ABVP ના કાર્યકરો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Update: 2020-09-27 10:21 GMT

ઓલપાડના કીમ ખાતે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને અખિલ ભારતીય વિધાર્થી પરિષદ કીમ શાખા દ્વારા કીમ નાગરિક સહકારી મંડળીના હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિર આયોજન આજુબાજુ ગામના લોકોએ ભાગ લીધો હતો.

રક્તદાન મહાદાન સૂત્રને હેઠળ કીમ ખાતે કીમ નાગરિક સહકારી મંડળીમાં હોલમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થીપરિષદ કીમ દ્રારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં આજુબાજુ ગામના લોકોએ ભાગ લીધો હતો અને લોહીની 150થી વધુ બોટલ એકત્ર કરી હતી અને એકત્ર કરેલ લોહી જરૂરિયાત મંદોને મળી રહે તે માટે સુરત રક્તદાન કેન્દ્ર ટીમને આપી રક્ત બોટલ આપી હતી.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વંયસેવક,આ કાર્યક્રમમાં સંઘના સભ્ય શૈલેષ ભીમાણી,અખિલ ભારતીય વિદ્યા પરિષદના જિલ્લા ધુમીત પરદેશી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ દિલીપસિંહ રાઠોડ કીમના સામાજિક કાર્યકર્તા નાગરભાઇ લાડ,અજિત સિંહ રાઉલજી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News