જામનગર: મહાનગર પાલિકાની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થતાં રાજકીય પાર્ટીઓના બેનર હટાવાયા, જુઓ વિડીયો

Update: 2021-02-20 07:48 GMT

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી પૂર્વે આચાર સંહિતાની કડક અમલવારી શરૂ કરાઇ છે ત્યારે હાલ પ્રચાર પ્રસારના પડઘમ શાંત પડતાં શહેરના અનેક વિસ્તારોમાંથી રાજકીય પાર્ટીના બેનરો હટાવવામાં આવ્યા હતા.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ૪૮ કલાક પહેલાં જ આચાર સંહિતાની કડક અમલવારી શરૂ કરાઇ છે અને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને એનસીપી તેમજ બહુજન સમાજ પાર્ટી સહિતના રાજકીય પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારોના પ્રચાર પ્રસાર માટે લગાવાયેલા જુદા જુદા બેનર અને હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. જેમાં જામનગરના મુખ્ય વિસ્તાર ગણાતા લાલ બંગલા, સાત રસ્તા સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકાના વિભાગ દ્વારા રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારોના પ્રચાર-પ્રસાર માટે લગાવેલા બેનર હટાવવામાં આવ્યા હતા.

Tags:    

Similar News