સુરતના
અમરોલી વિસ્તારમાં તસ્કરોએ ઉત્તરાયણ ઉજવી હોય તેમ એક જ રાતમાં છ મકાનોના તાળા તોડી
લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં.
સુરતના
અમરોલી વિસ્તારમાં આવેલ મારુતિધામ સોસાયટીમાં એક સાથે છ બંધ મકાનોમાં ચોરી થતાં
સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે. એક જ રાત્રિમાં છ મકાનોના તસ્કરોએ તાળા તોડયાં
હતાં. જે મકાનોમાં ચોરી થઇ છે તેમાં રહેતાં પરિવારો ઉત્તરાયણનું પર્વ ઉજવવા માટે
બહારગામ ગયાં હતાં. બંધ મકાનોને નિશાન બનાવી તસ્કરોએ પરિવારોના તહેવારની મજા બગાડી
નાંખી હતી. છ જેટલા મકાનોમાંથી 7 લાખ રૂપિયા ઉપરાંતની ચોરી થયાનું જાણવા મળી રહયું છે. ચોરીની ઘટના બાદ
અમરોલી પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે રહીશોએ સવાલો ઉઠાવ્યાં છે.