અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે બીજી T-20 મેચ રમાશે
ભારત અને ઈંગ્લેન્ડ આ બંને ટીમો વચ્ચે બીજી મેચ આજે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. પ્રથમ ટી -20 મેચ પહેલા કોહલીએ ચાહકોને વચન આપ્યું હતું કે તે તમામ બેટ્સમેનોની વધુ આક્રમક અને કુદરતી રમત જોશે પરંતુ પહેલી મેચમાં કંઈક બીજું હતું. 5 મેચની સિરીઝમાં પ્રથમ T-20 મેચમાં ઈંગ્લેન્ડએ ભારતને કારમી હાર આપી ઈંગ્લેન્ડ 1-0થી આગળ થઈ ગયું છે.
5 મેચની સિરીઝમાં ઈંગ્લેન્ડ ટીમ 1-0થી આગળ છે
વિશ્વના સૌથી મોટા અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે બીજી T-20 મેચ રમાશે. 5 મેચની સિરીઝમાં ઈંગ્લેન્ડ ટીમ 1-0થી આગળ છે. પ્રથમ મેચમાં જીત મેળવ્યા બાદ ઈંગ્લેન્ડના ખેલાડીઓ બીજી મેચમાં આત્મવિશ્વાસ સાથે ઉતરશે. તો સામે ભારતીય ટીમ કમબેક કરવાના ઈરાદાથી ઉતરશે. સાંજે સાત કલાકે શરૂ થનારી મેચને લઈ દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ મેચમાં ઈગ્લેન્ડનો 8 વિકેટે શાનદાર વિજય થયો હતો.