વડોદરા : ટ્રેનમાં બારી પાસે બેસવાનો આગ્રહ રાખો છો, તો આ કિસ્સો જરૂર વાંચજો

Update: 2020-03-06 11:47 GMT

વડોદરા રેલવે સ્ટેશન ઉપર આવી પહોંચેલા રાણકપુર એક્સપ્રેસમાં પરિવાર સાથે મુસાફરી કરી વેપારીની પત્નીનું કોઇ ગઠીયો બારીમાં હાથ નાંખી સોનાનું મંગળસુત્ર તોડી ફરાર થઇ ગયો હતો. રૂપિયા 50 હજારની કિંમતનું સોનાનું મંગળસુત્રની થયેલી લૂંટ અંગે રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રીય માહીતી અનુસાર મુંબઇના મલાડ ખાતે રહેતાં હસતીમુલ પ્રતાપમુલ જૈન  વ્યવાસયે વેપારી છે. તેઓ તા.23 ફેબ્રુઆરીના રોજ તેઓ પરિવાર સાથે રાણકપુર એક્સપ્રેસમા એસ-8, સીટ નંબર-49 મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન ઉપર પ્લેટ ફોર્મ નંબર-6 ટ્રેન ઉભી હતી. તે સમયે કોઇ ગઠીયો બારીમાં હાથ નાંખી વેપારીની પત્નીના ગળામાંથી મંગળસુત્ર તોડી ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગેની ફરિયાદ રેલવે પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Similar News