ભરૂચ : વરસાદ બાદ રાજપારડી નજીકનો સારસા ડુંગર બન્યો હિલ સ્ટેશન, સહેલાણીઓમાં ખુશીનો માહોલ

Update: 2021-07-20 01:30 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં એક સપ્તાહના વિરામ બાદ પુનઃ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણ આહલાદક બન્યું છે, રાજપારડી નજીક સારસા ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો.

ઝઘડિયા નગર સહિત રાજપારડી-ઉમલ્લા પંથકમાં મેઘરાજાની પુનઃ એક સપ્તાહના વિરામ બાદ ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જોકે, ગયા સપ્તાહમાં મેઘરાજાએ પધરામણી કરતા લોકો અને ખાસ કરીને ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા હતા. ત્યારબાદ હવે વરસાદ ન વરસતા પુનઃ બાફ ઉકળાટથી નગરજનો ત્રસ્ત બન્યા હતા અને મેહુલિયો હેત વરસાવે એવી અપેક્ષા સેવી રહ્યા હતા, ત્યારે રવિવારની સવારે ઝઘડિયા નગર સહિત પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.

કાળા ડીબાંગ વાદળોથી આખા નગરનું આકાશ છવાઈ ગયું હતું. શીત લહેર અને ગાજવીજ સાથે મેઘાએ ધબડાટી બોલાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદને પગલે બાફ ઉકળાટથી ત્રસ્ત નગરજનોને ગરમીમાં રાહત મળવા પામી હતી, ત્યારે રાજપારડી નજીક આવેલ સારસા ડુંગર ઉપર હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.

Tags:    

Similar News