યુપીના આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર બુધવારે રાતે એક ખાનગી સ્લીપર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. તેમાં 14 લોકોના મોત થયા છે, જ્યારે 18 ગંભીર રીતે ઘાયલ થયા હતા. બસ દિલ્હીથી બિહાર તરફ જઈ રહી હતી. તેમાં 40 થી વધુ યાત્રીઓ હતા.
એસએસપી સચિંદ્ર પટેલે જણાવ્યું કે, પ્રાઈવેટ બસ દિલ્હીથી બિહાર જતી હતી. આ દરમિયાન રાતે 10 વાગે ફિરોઝાબાદ પાસે સ્પીડમાં આવતી બસ રોડ પર ઉભેલી ટ્રક સાથે પાછળથી અથડાઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત નિપજ્યાં હતા અને ઘાયલ લોકોને સૈફઈની મિની પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે.