રાજસ્થાન-જોધપુરની JNVU યુનિ.માં દલિત દિકરી સાથે ABVPના કાર્યકરોએ દુષ્કર્મ આચારતા વડોદરા NSUI દ્વારા વિરોધ પ્રદર્શન..

Update: 2023-07-20 14:36 GMT

રાજસ્થાનની JNVUમાં દલિત દિકરી સાથે દુષ્કર્મનો મામલો

ABVPના 3 નરાધામોએ દલિત દીકરીને પિંખી નાખતા વિરોધ

NSUI દ્વારા ABVPના પૂતળાનું દહન, કાર્યકરોની અટકાયત

રાજસ્થાનના જોધપુરની જેએનવીયુ યુનિવર્સિટીના હોકી મેદાનમાં નાબાલીક દલિત દિકરી ઉપર ABVPના 3 વિદ્યાર્થી નેતાઓ દ્વારા દુષ્કર્મ ગુજારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે આ મામલે રાજ્યભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. તેવામાં આ ઘટના બાદ પોલીસે ABVPના 3 વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરી છે. પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતા વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં NSUI દ્વારા ABVPના પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

NSUI પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં NSUIના કાર્યકર્તાઓ જોડાયા હતા. બેનરો પોસ્ટરો સાથે દેખાવો કરી ABVPના પૂતળાનું દહન કર્યું હતું. સાથે જ ABVPના ઝડપાયેલા બળાત્કારીઓને ફાંસીની સજા કરવામાં આવે અને આવા સંગઠનો ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે સ્થળ પર પહોંચી NSUI વિદ્યાર્થી અગ્રણીઓની અટકાયત કરી હતી. આ અંગે NSUI પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, અમારી માંગ છે કે, જે હિન્દુસ્તાનમાં આવા રાજકીય સંગઠન હોય એમને તાત્કાલિક ધોરણે રદ્દ કરવા જોઈએ, અને જે નાબાલીક દલિત યુવતી પર ABVPના 3 બળાત્કારી કાર્યકર્તાઓએ દુષ્કર્મ આચર્યું છે, તેમને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે.

Tags:    

Similar News