વડોદરા: કરજણ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી આર. સી. ફળદુની અધ્યક્ષતામાં શહેરી જન સુખાકારી દિવસની ઉજવણી

સરકારે આયોજનબદ્ધ રીતે કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. 49 કરોડ રૂપિયાના કરજણના વિકાસ માટે કામો કર્યા છે.

Update: 2021-08-08 11:31 GMT

કરજણના ભરત મુનિ હૉલ ખાતે રાજ્યકક્ષા મંત્રી આર સી ફળદુ, સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં 'શહેરી જન સુખાકારી દિવસ' કાર્યક્રમ યોજાયો હતો..

વડોદરા જિલ્લાના કરજણ ખાતે ભરત મુનિ હૉલ ખાતે જન સુખાકારી દિવસની ઉજવણી કરાઇ હતી. રાજ્યની વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા એક સપ્તાહ માટે વિવિધ કાર્યક્રમો આયોજિત થયા છે. જે અંતર્ગત કરજણ ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યકક્ષા મંત્રી આર સી ફળદુ, સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં 'શહેરી જન સુખાકારી દિવસ' કાર્યક્રમ યોજાયો હતો. આર. સી. ફળદુએ સંબોધનમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ જનતાની સુવિધાઓ માટે સતત કાર્યશીલ રહ્યા છે. દરેક માનવીને વિકાસની યાત્રામાં જોડીને સૌ નો સાથ સૌ નો વિકાસ કરી રહ્યા છે.

વધુમાં મંત્રીએ કહ્યું કે, શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં વિકાસ માટે આર્થિક આયોજન શરૂ કર્યા. વિકાસ માટે પુરુષાર્થ કરવો પડે. સમાજને આગળ લઈ જવી હશે તો શૈક્ષણિક ક્ષેત્રે ખાસ ધ્યાન રાખવું પડશે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણને વધુ મહત્વ આપ્યું. આપના બાળકો આપણું ભવિષ્ય છે. જે અગવડતાઓ હતી તે અગવડતાઓ ભાજપ સરકારે દૂર કરી છે. 51 યુનિવર્સિટીઓ ભાજપે બનાવી છે.

સરકારે આયોજનબદ્ધ રીતે કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. 49 કરોડ રૂપિયાના કરજણના વિકાસ માટે કામો કર્યા છે. ગુજરાતની રેવન્યુ વધી. રાજ્યના વિકાસ માટે શહેરી ક્ષેત્રના વિકાસ માટે સરકારે કોઈ કચાસ રાખી નથી. શહેરી ક્ષેત્રમાં વસતા લોકોના દિલ જીતવા પડશે એમ મંત્રીએ જણાવ્યું હતું.

કાર્યક્રમમાં કરજણ નગરસેવા સદનને એક કરોડ પચ્ચીસ લાખનો ચેક અર્પણ કરાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત કૃષિ મંત્રી આર. સી. ફળદુ, ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવા, કરજણ શિનોર ધારાસભ્ય અક્ષય પટેલ, પૂર્વ કરજણ શિનોર ધારાસભ્ય સતિષભાઈ પટેલ, વડોદરા કલેક્ટર આરવ. વી. બારડ, સંગઠન મંત્રી ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ સંગઠન મંત્રી જાનવીબેન વ્યાસ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News