દિગ્ગજ ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાનું 77 વર્ષની વયે નિધન

Update: 2020-10-27 04:45 GMT

ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાનું આજરોજ વહેલી સવારે 9 વાગ્યાની આસપાસ નિધન થયું છે. અભિનેતા નરેશ કનોડિયાને કોરોના પોઝિટવ આવતા યુ.એન.મહેતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. નરેશ કનોડિયાએ 77 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

ઉલ્લેખનીય છે બે દિવસ પહેલા જ મોટા ભાઇ મહેશ કનોડિયાનું પણ નિધન થયું હતું. બંને ભાઇઓએ આખી જીંદગી સાથે રહ્યાં અને સાથે કામ કર્યું. બે દિવસના સમયગાળામાં બંને ભાઇનું અવસાન થયું. ઉલ્લેખનીય છે કે 25 ઓક્ટોબરનાં રોજ નરેશ કનોડિયાના મોટાભાઇ અને ગુજરાતી ફિલ્મના સંગીતકાર તથા પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગાંધીનગર ખાતે નિધન થયું હતુ.

Tags:    

Similar News