દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.1 નોંધાય..

ગુરુવારે બપોરે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંચકો અનુભવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

Update: 2024-01-11 11:16 GMT

ગુરુવારે બપોરે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંચકો અનુભવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઓફિસોમાં કામ કરતા લોકો પણ પોતાનું કામ છોડીને ઈમારતોની બહાર આવી ગયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 હતી. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર હતું. હાલમાં ક્યાંયથી જાનમાલના નુકસાનના સમાચાર નથી. દિલ્હી-NCR સહિત જમ્મુ-કાશ્મીરના પૂંચ વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Tags:    

Similar News