અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા નેત્રંગના કાકળકુઈ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા નેત્રંગના કાકળકુઈ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં1000 થી વધુ ગ્રામજનો કેમ્પનો લાભ લીધો હતો જટિલ રોગ તેમજ ઓપરેશન જેમના કરવાના હશે તે અંકલેશ્વર ખાતે એઆઈએ દ્વારા નિઃશુલ્ક પણે કરવામાં આવશે.
આ કેમ્પનો જરૂરિયાત મંદ દર્દીઓ એ મોટી સંખ્યામાં લાભ લીધો હતો તેમજ જે દર્દીઓ ને વધુ સારવાર કેઓપરેશનની જરૂરિયાત જણાશે તેમાટે પણ AIA દ્વારા તમામ વ્યવસ્થા વિના મૂલ્યે કરવામાં આવશે. કેમ્પમાં બપોર સુધીમાં 1000 થી વધુ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો.