અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે કોરોના વોરિયર્સના હસ્તે કરાયું ધ્વજવંદન

Update: 2020-08-15 11:15 GMT

અંકલેશ્વર ઉંમરવાડા રોડ સ્થિત અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે કોરોના વોરિયર્સના સાન્નિધ્યમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર ખાતે છેલ્લા લગભગ બે વર્ષના સમયગાળા સુધી ભૂખ્યાને ભોજન લેવાની શરૂઆત કરનાર માંગીલાલ રાવલ, કોરોના વાયરસના સમયમાં જરૂરિયાતમંદ લોકો માટે અનાજ સહીત જરૂરી ચીજ વસ્તુઓની વહેચણી કરનાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા જેઓ પોતે કોરોના સંક્રમિત થયા પછી સાજા થઈને પરત ફર્યા એવા જનક શાહ તેમજ અંકલેશ્વરમાં સામાજિક-સાંસ્કૃતિક સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે સક્રિય એવા સંદીપ પટેલ કે જેઓ ભૂખ્યાને ભોજન સેવામાં પણ નીરવ મેમોરીયલ ટ્રસ્ટ અંતર્ગત કાર્યરત છે, તેઓ ઉપરાંત ભરૂચ જિલ્લા વ્હોરા સમાજના પ્રમુખ યુનુસ પટેલ તેમજ ઝુબેર પટેલના હસ્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશીયલ ડિસ્ટન્સિંગ સાથે ઉજવાયેલા સ્વાતંત્ર્ય પર્વમાં અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટ ના પ્રમુખ નાઝુભાઈ ફડવાલા સહિત શાળાના આચાર્ય તેમજ શિક્ષક ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગાને સલામી આપી હતી.

Tags:    

Similar News