અંકલેશ્વરના અંદાડા ગામની વિધવાનો ગળે ફાસો ખાઈ આત્મહત્યા

Update: 2018-06-09 11:06 GMT

અંકલેશ્વર શહેર પોલીસે તપાસ હાથ ધરી

અંકલેશ્વરના અંદાડા ગામ નજીક આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતી મહિલા એ અગમ્ય કારણોસરગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ માં આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતી ૩૨ વર્ષીય સુશીલા બહેન રાજુભાઈ વસાવાએ અગમ્ય કારણોસર પોતાના ઘરની છત સાથે દોરી બાંધી ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બનાવ અંગે અંકલેશ્વર પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી બનાવ અંગે અકસ્માત મોત અંગેનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News