અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની સીમમાં તાડી પીવાની તકરારમાં ઝઘડો થતા એક યુવાનને મારામારી મોતને ઘાટ ઉતારીને પાંચ ઈસમો ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરના અંસાર માર્કેટ ખાતે રહેતો વૈશાલી પાસવાન ઉંમર 20 તથા તેનો મિત્ર ઇરફાન અલી ઝાકીરઅલી શાહ ઉ.વ.21 ના ઓ તારીખ 3જી ની રાત્રીએ ભડકોદ્રા ગામની સીમમાં તાડી પીવા માટે ગયા હતા,અને ત્યાં હાજર કોસમડીના રિક્ષા ચાલક કિરણ વસાવા,સુનિલ ઉર્ફે સન્ની રાઠોડ સહિત અન્ય ત્રણ ઈસમોએ તેઓની સાથે તાડી પીવાના પૈસા બાબતે ઝઘડો કર્યો હતો.
નજીવી બાબતમાં ઉશ્કેરાયેલા કિરણ વસાવા અને સુનિલ રાઠોડ તેમજ તેઓના સાથીઓ એ વૈશાલી પાસવાનને કમર પટ્ટો અને લાકડાના સપાટા મારીને મોતને ઘાટ ઉતારી તેઓ ફરાર થઇ ગયા હતા.
બનાવ સંદર્ભે ઇરફાન અલીની ફરિયાદ દર્જ કરીને જીઆઇડીસી પોલીસે ફરાર આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.