અંકલેશ્વરની જે.એમ.કેમિકલમાં આગથી દોડધામ મચી

Update: 2016-04-21 12:27 GMT

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની જે.એમ.કેમિકલ કંપનીમાં કોઈક કારણોસર આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની જે.એમ.કેમિકલમાં જ્વલનશીલ સોલવન્ટમાં કોઈક કારણોસર આગ લાગી હતી. જેનાં કારણે કંપની સંકુલમાં દોડધામ મચી ગઈ હતી. જ્વલનશીલ રસાયણમાં આગ લાગી હોવાથી ક્ષણવારમાંજ આગ ખૂબજ વિકરાળ બની ગઈ હતી અને ધુમાડાનાં ગોટેગોટા વાતાવરણમાં ઉડતા દુર દુરથી કાળા ધુમાડા લોકોએ નિહાળ્યા હતા.

ઘટના અંગેની જાણ અંકલેશ્વર નોટિફાઈડ એરિયાનાં ડિપીએમસી ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી ગયા હતા અને આગ પર ફાયર ફાઈટીંગ ફોર્મનો મારો ચલાવી કાબુ મેળવવા માટેની જહેમત ઉઠાવી હતી. ઘટના અંગે ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ તેમજ જીઆઈડીસી પોલીસે તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે. આ ઉપરાંત કંપની સંચાલક શરીરે દાઝયા હોવાનું જાણવા મળી રહયુ છે અને તેઓને સારવાર અર્થે વડોદરા લઈ જવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યુ છે.

Similar News