અંકલેશ્વરમાં હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગ બાદ પાકીટ ચોરો એ કરી હાથ સફાઈ

Update: 2016-10-24 12:44 GMT

અંકલેશ્વર શહેરમાં અદ્યતન હોસ્પિટલના ઉદ્દઘાટન બાદ બહાર નીકળતી વેળાએ પાકીટ તેમજ મોબાઈલ ચોર ટોળકી સક્રિય બની હતી.

સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર તારીખ 23મી ઓક્ટોબરના રોજ અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલની લોકાર્પણ વિધિ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે કરવામાં આવી હતી, આ શુભ કાર્ય બાદ મહેમાનો જયારે બહાર નીકળ્યા હતા અને નાસ્તા માટે જતા હતા ત્યારે પાકીટ અને મોબાઈલ ચોર ટોળકીએ પોતાની સક્રિયતા બતાવી હતી અને પાકીટ ચોરીએ તેમાંથી રોકડ કાઢી લઇ ખાલી પાકીટ રસ્તા પર ફેંકી દીધા હતા જયારે ચોરી થયેલ મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવી રહ્યા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે હજી સુધી આ અંગે કોઈ પોલીસ ફરિયાદ દર્જ નથી થઇ પરંતુ આટલી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ પાકીટ અને મોબાઈલ ચોરો કરામત કરી લેતા પોલીસ માટે પણ આ બાબત પડકાર જનક બની ગઈ છે, કારણ કે હવે દિવાળી ની ખરીદી અર્થે પણ શહેર ના બજારો માં ભીડ જોવા મળશે ત્યારે આવી ઘટના ઓ ન બને તે માટે પોલીસ ચોર ટોળકીને દબોચી લે તેવી લાગણી ભોગ બનનાર વ્યક્ત કરી રહ્યા છે.

 

 

Tags:    

Similar News