ઇસ્લામી મહિનો બાર રબીઉલ અવ્વ્લ ના રોજ મુસ્લિમ સમાજના લોકો ઈદે મિલાદ તરીકે ઉજવણી કરે છે.પૈગમ્બર હજરત મોહમ્મદ સાહેબના જન્મ દિવસની ઉજવણીને લઈને મુસ્લિમ સમુદાય દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લા ના આમોદ ખાતે મુસ્લિમ સમુદાયે પૈગમ્બર હજરત મોહમ્મદ સાહેબના જન્મ દિવસ ઈદે મિલાદુન્નબીની ઉજવણીના ભાગ રૂપે શેરી,મહોલ્લા,ઘરો,તેમજ મસ્જિદો,મદ્રેસાને સાંજ શણગાર કરવામાં આવ્યા છે,તેમજ ઈદે મિલાદુન્નબીના દિવસે આમોદમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ પણ કાઢવામાં આવશે.