ઉના તાલુકા માં દલિત યુવાનો પર અત્યાચારની ઘટના ના ભરૂચ જિલ્લા માં પડઘા પડયા

Update: 2016-07-18 11:22 GMT

ભરૂચ તેમજ આમોદ ના દલિત સમાજ દ્વારા કહેવાતા ગૌરક્ષકો સામે સખ્ત કાર્યવાહી ની માંગ કરી

ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના મોટા સમઢી વાળા ગામ માં કહેવત ગૌરક્ષકો દ્વારા દલિત યુવાનો ને અર્ધ નગ્ન કરીને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો.જે ઘટના ના ઘેરા પડઘા સમગ્ર રાજય માં પડી રહ્યા છે.

દલિત યુવકો ઉપર અત્યાચાર ગુજારનાર ગૌરક્ષકો સામે સખ્ત કાર્યવાહી કરવા અંગેની માંગ સાથે ભરૂચ ના દલિત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર ને સંબોધી ને આવેદન પત્ર પાઠવ્યું હતું.

તો બીજી તરફ આમોદ ના દલિત સમાજ દ્વારા પણ મામલતદાર ને આવેદન પત્ર પાઠવી ને દલિત યુવકો સાથે થયેલ અન્યાય સામે યોગ્ય કાર્યવાહી કરીને ન્યાય અપાવવા ની માંગ કરી હતી.

Tags:    

Similar News