જમ્મુ કાશ્મીરનાં પુલવામાં શનિવારે પોલીસ લાઈન પર થયેલા આતંકી હુમલામાં 8 જવાનો શહીદ થયા હતા, જેમાં અમદાવાદનાં નરોડા વિસ્તારમાં અમરદિપ પાર્કમાં રહેતા દિનેશ દિપકભાઈ બોરસે પણ શહીદ થયા છે.
શહીદ જવાન દિનેશ બોરસેનાં પાર્થિવદેહને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. જ્યાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાષ્ટ્રીય સન્માન સાથે શહીદ જવાન દિનેશ બોરસેનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.